Ghanshyam Maharaj Darshan 3
ત્યાગી થઈને સારાં સારાં જે વસ્ત્રાદિક પદાર્થ તેને ભેળાં કરી રાખે અને તેની તૃષ્ણા પણ ઘણી રાખે અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ તેને વિષે પ્રીતિએ રહિત હોય એવો જે ત્યાગી તેને તો જે મોટા એકાંતિક સાધુ છે તે કંગાલ માણસની પેઠે પાપી જાણે છે, કેમ જે જો એ પાપી છે તો એને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ તેને વિષે પ્રીતિ થાતી નથી ને પરમેશ્વર વિના બીજા પદાર્થમાં પ્રીતિ થાય છે. (પ્ર. ૩૬)