Ghanshyam Maharaj Darshan 3
ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈક કર્મયોગે કરીને શૂળીએ ચડાવ્યો હોય ને તે સમયમાં અમે પણ તેની પાસે ઊભા હોઈએ, પણ તે ભક્તના હૃદયમાં એમ ઘાટ ન થાય જે આ ભગવાન મુંને શૂળીનાં કષ્ટ થકી મુકાવે તો ઠીક. એવી રીતે પોતાના દેહના સુખનો સંકલ્પ ન થાય ને જે કષ્ટ પડે તેને ભોગવી લે. એવો જે નિષ્કામી ભક્ત તેની ઉપર ભગવાનની બહુ પ્રસન્નતા થાય છે. (છે. ૨૮)