
Ghanshyam Maharaj Darshan 3
સંપ્રદાયની પુષ્ટિ તો એમ થાય છે જે, જે સંપ્રદાયના ઇષ્ટદેવ હોય તેનો જે હેતુ માટે પૃથ્વીને વિષે જન્મ થયો હોય, અને જન્મ ધરીને તેમણે જે જે ચરિત્ર કર્યાં હોય અને જે જે આચરણ કર્યાં હોય તે આચરણને વિષે ધર્મ પણ સહેજે આવી જાય અને તે ઇષ્ટદેવનો મહિમા પણ આવી જાય. માટે પોતાના ઇષ્ટદેવનાં જે જન્મથી કરીને દેહ મૂકવા પર્યંત ચરિત્ર તેનું જે શાસ્ત્ર તેણે કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય છે. (મ. ૫૮)