Ghanshyam Maharaj Darshan 3
જેને સત્સંગનો અતિ દૃઢ પક્ષ હોય તે જ્યારે કોઈ સત્સંગનું ઘસાતું બોલે ત્યારે ખમી શકે જ નહિ, જેમ પોતાના કુટુંબીહોય ને તે સાથે કચવાણ થઈ હોય તો પણ જ્યારે તેનું કોઈ ઘસાતું બોલે ત્યારે ખમાય નહિ. એવી રીતે જેવો દેહના સંબંધીનો પક્ષ છે તેવો જેને સત્સંગનો પક્ષ હોય તેનો પાયો સત્સંગને વિષે અચળ છે. (પ્ર. ૭૮)