Ghanshyam Maharaj Darshan 3
પૂર્વે ચોરાશી લાખ જાતનાં મારે માબાપ તથા સ્ત્રી-છોકરાં થયાં હતાં તેવાં ને તેવાં જ આ દેહનાં પણ છે ને કેટલાક જન્મની મા-બોન-દીકરીઓ તે કેટલીક રઝળતી હશે તેની જેમ મારે મમતા નથી તેમ આ દેહનાં સંબંધી તેની પણ મારે મમતા ન રાખવી, એવી રીતે વિચાર કરીને સર્વમાંથી પ્રીતિ તોડીને ભગવાનને વિષે દૃઢ પ્રીતિ કરે ને સાધુનો સમાગમ રાખે તો ગૃહસ્થને પણ ત્યાગીની પેઠે અખંડ ભગવાનમાં વૃત્તિ રહે. (કા. ૭)