Ghanshyam Maharaj Darshan 3
સિદ્ધિઓ તો જેને પરિપક્વ ભગવાનનો નિશ્ચય હોય તેને જ આવે છે ને બીજાને તો સિદ્ધિઓ ઘણી દુર્લભ છે અને એ સિદ્ધિઓને પણ એ ભક્તની પરીક્ષા લેવા સારુ ભગવાન જ પ્રેરે છે જે, એને હું ઉપર ઘણું હેત છે કે સિદ્ધિઓ ઉપર ઘણું હેત છે ? એવી રીતે ભગવાન પોતાના ભક્તની પરીક્ષા જુએ છે. પછી જો એ પાકો ભક્ત હોય ને ભગવાન વિના બીજું કાંઈ ન ઇચ્છે ને નિર્વાસનિક એવો એકાંતિક ભક્ત હોય તો ભગવાન પોતે તે ભક્તને વશ થઈ જાય છે. (પ્ર. ૬૧)