Ghanshyam Maharaj Darshan 3
એકલું કાળનું જે બળ કહે તે પણ પ્રમાણ નહિ ને એકલું કર્મનું બળ કહે તે પણ પ્રમાણ નહિ ને એકલું પરમેશ્વરનું બળ કહે તે પણ પ્રમાણ નહિ; એ તો જ્યારે જેનું પ્રધાનપણું હોય તે સમે શાસ્ત્રમાં તેનું જ પ્રધાનપણું કહ્યું હોય પણ સર્વે ઠેકાણે એનું એ લેવું નહિ અને જ્યારે જેવી પરમેશ્વરની ઇચ્છા હોય ત્યારે તેવું જ કાળનું સામર્થ્ય પ્રવર્તે છે તે કાળે કરીને પરમેશ્વર જે તે જીવના દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણને સૃજે છે. પછીતો જે જીવ જેવું કર્મ કરે તેને તેવા દેહની પ્રાપ્તિ થાય છે. (વ. ૬)