Ghanshyam Maharaj Darshan 3
ભગવાનના ભક્તને દુઃખ આવી પડે ત્યારે તો જે ચાંડાળ ને વિમુખ હોય તેને દુઃખ ન થાય. પણ જે ભગવાનનો ભક્ત હોય તે તો હરિભક્તને દુઃખે કરીને જરૂર દુઃખિયો થાય અને જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈક મારી નાખતો હોય અથવા તેને કોઈક દુઃખ દેતો હોય ને તે ભગવાનના ભક્ત આડો જઈને જો મરે કે ઘાયલ થાય, તો શાસ્ત્રમાં એમ કહ્યું છે જે તેનાં બ્રહ્મહત્યાદિક જે પંચમહાપાપ તે સર્વે મટી જાય છે એવો ભગવાનના ભક્તનો પક્ષ રાખ્યાનો પ્રતાપ છે. (મ. ૬૦)