Ghanshyam Maharaj Darshan 3
જેમ મનુષ્યના હાથ, પગ, નાક, કાન, આંખ, આંગળીઓ એ આદિક જે અંગ તે કપાય તો પણ એ મનુષ્ય મૂઓ કહેવાય નહિ અને જ્યારે ધડમાંથી માથું કપાઈ જાય ત્યારે તેને મૂઓ કહેવાય. તેમ હરિજનનો જેને અવગુણ આવે તેનું તો માથું કપાણું અને બીજા વર્તમાનમાં કદાચિત્ ફેર પડે તો અંગ કપાણું કહેવાય પણ તે જીવે ખરો, કહેતાં તે સત્સંગમાં ટકે ખરો ને જેને સંતનો અવગુણ આવ્યો તે તો નિશ્ચે સત્સંગથી જ્યારે ત્યારે વિમુખ જ થાય એ એનું માથું કપાણું જાણવું. (લો. ૧)