Ghanshyam Maharaj Darshan 3
જેના હૃદયમાં માહાત્મ્યે સહિત ભગવાનની ભક્તિ હોય તો બીજા કલ્યાણકારી ગુણ ન હોય તો પણ તેના હૃદયમાં સર્વે આવે છે અને જો માહાત્મ્યે સહિત ભક્તિ જેના હૃદયમાં નથી તો શમ-દમાદિક જે કલ્યાણકારી રૂડા ગુણ તે તેના હૃદયમાં છે તો ય પણ નહિ જેવા જ છે, કેમ જે અંતે નાશ પામી જાશે. માટે એક માહાત્મ્યે સહિત ભક્તિ હોય તો તેની વાસના પણ નિવૃત્ત થઈ જાય અને કલ્યાણકારી જે ગુણ જે સર્વે આવીને હૃદયને વિષે નિવાસ કરીને રહે, તે માટે માહાત્મ્યે સહિત ભગવાનની ભક્તિ એ જ વાસના ટળ્યાનું મહા મોટું અચળ સાધન છે. (સા. ૫)