Ghanshyam Maharaj Darshan 3
સંતનો સમાગમ મળ્યો છે તે તો મુને પરમ ચિંતામણિ ને કલ્પવૃક્ષ મળ્યો છે ને ધન, દોલત, દીકરા, દીકરી એ તો સર્વે સ્વપ્ન તુલ્ય છે, અને સાચો લાભ તે સંતનો સમાગમ મળ્યો એ જ છે, એમ સમજે, અને ગમે તેવું ભારે દુઃખ આવી પડે પણ તેણે કરીને પાછો પડે નહિ એવો જે ગૃહસ્થ તે અતિ શ્રેષ્ઠ છે, અને સૌ કરતાં ભગવાનના ભક્ત થાવું એ ઘણું કઠણ છે, અને ભગવાનના ભક્તનો સમાગમ મળવો ઘણો દુર્લભ છે. (પ્ર. ૧૪)