Ghanshyam Maharaj Darshan 3
સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણે દેહ થકી નોખો એવો જે આ દેહને વિષે જીવાત્મા તેને પોતાનું રૂપ જાણીને ને તેને વિષે ભગવાનની મૂર્તિ ધારીને, ને જાતિ, વર્ણ, આશ્રમ તેના માનને મૂકીને, ને કેવળ ભગવાનના સ્મરણ વિષે તત્પર થાય તો કુટુંબીનો સંબંધ ચોખ્ખો ટળે તે વિના બીજો કોઈ ઉપાય નથી. (મ. ૪૩)