Ghanshyam Maharaj Darshan 3
ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતો હોય તેને અતિશે પવિત્રપણે રહેવું. જેમ દેવને પૂજવાને તત્પર થાય તે દેવ સરખો પવિત્ર થઈને જો દેવની પૂજા કરે ત્યારે તેની જ પૂજાને દેવ અંગીકાર કરે છે, તેમ પરમેશ્વરને વિષે વૃત્તિ રાખતો હોય તેને પણ સાંખ્ય શાસ્ત્રની રીતે કરીને સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહથી પોતાનું સ્વરૂપ ન્યારું જાણીને કેવળ આત્મારૂપ થઈને પરમેશ્વરના સ્વરૂપને વિષે વૃત્તિ રાખવી, એમ વૃત્તિ રાખતાં રાખતાં જ્યારે એ વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય એ જ ધ્યાન કરનારા યોગીની નિદ્રા કહી છે. (વ. ૮)