Ghanshyam Maharaj Darshan 3
ભગવાનનું સ્વરૂપ જ એવું છે, જે માયામાં અન્વય થયા થકા પણ વ્યતિરેક જ છે, પણ ભગવાનને એમ બીક નથી જે રખે હું માયામાં જાઉં ને અશુદ્ધ થઈ જાઉં, ભગવાન તો માયાને વિષે આવે ત્યારે માયા પણ અક્ષરધામરૂપ થઈ જાય છે, અને ચોવીશ તત્ત્વને વિષે આવે તો ચોવીશ તત્ત્વ પણ બ્રહ્મરૂપ થઈ જાય છે. (વ. ૭)