Ghanshyam Maharaj Darshan 3
જગતની વાસનાને ઘટાડતો જાય ને ભગવાનની વાસનાને વધારતો જાય, તેણે કરીને એને પંચવિષયને વિષે સમબુદ્ધિ થઈ જાય છે ને સમબુદ્ધિ થયા પછી નિંદા ને સ્તુતિ સરખાં લાગે અને સારો સ્પર્શ ને ભૂંડો સ્પર્શ સરખો લાગે, તેમ જ સારું રૂપ ને ભૂંડું રૂપ તથા બાળ, યૌવન ને વૃદ્ધ એવી જે સ્ત્રીઓ તથા કચરો ને કંચન એ સર્વે સરખું ભાસે, તેમ જ સારા ને ભૂંડા જે રસ ને ગંધ હોય તે પણ સરખા ભાસે, એવી રીતે સ્વાભાવિકપણે વર્તાય, ત્યારે જાણીએ જે વાસના જીતાણી, અને વાસના રહિત વર્તવું એ એકાંતિકનો ધર્મ છે, અને વાસના જરાકે રહી જાય તો સમાધિવાળો હોય અને નાડી-પ્રાણ તણાતાં હોય તો ય પણ વાસના સમાધિમાંથી પાછો ખેંચી લાવે છે, માટે વાસના ટાળે તે જ એકાંતિક ભક્ત છે. (પ્ર. ૬૦)