Ghanshyam Maharaj Darshan 3
હિંસાયુક્ત જે ધર્મ છે તે તો ધર્મ, અર્થ ને કામ પર છે અને અહિંસામય જે ધર્મ છે તે મોક્ષ પરાયણ છે અને એ સાધુનો ધર્મ છે ને હિંસામય જે ધર્મ છે તે તો વ્યાવહારિક છે, પણ કલ્યાણને અર્થે નથી અને જે અહિંસારૂપ ધર્મ છે તે તો કેવળ કલ્યાણને અર્થે છે, માટે ગૃહસ્થ અથવા ત્યાગી એ સર્વેને અહિંસારૂપ જે ધર્મ તે જ કલ્યાણને અર્થે કહ્યો છે. (પ્ર. ૬૯)