Ghanshyam Maharaj Darshan 3
જેવી ભગવાનની મૂર્તિ પ્રગટ દેખાય છે તે મૂર્તિને વિષે અખંડ વૃત્તિ રહે તેણે કરીને એવી સ્થિતિ થાય છે. ને જેને જેવો ભગવાનનો મહિમા સમજાણો હોય તેના હૃદયમાં તેટલો જ પ્રકાશ થાય છે, ને તેટલો જ તેને પ્રણવ ને નાદ સંભળાય છે, ને જેટલો જેને ભગવાનનો નિશ્ચય ને મહિમા સમજાય છે તેને તેટલા ભૂંડા ઘાટ બંધ થઈ જાય છે. ને જ્યારે ભગવાનનો નિશ્ચય યથાર્થ થાય છે, ને યથાર્થ મહિમા સમજાય છે ત્યારે તેને ભૂંડા ઘાટ માત્ર ટળી જાય છે. (પ્ર. ૨૪)