
Ghanshyam Maharaj Darshan 3
જેમ પોતાની માતા હોય અથવા બેન હોય તથા દીકરી હોય તે ઘણી રૂપવાન હોય તો પણ તેને દેખીને મનને વિષે વિકાર થાતો નથી, તેમ જ તેની સાથે બોલે છે, સ્પર્શ કરે છે તો પણ મનને વિષે લેશમાત્ર વિકાર થાતો નથી, એવી રીતે ભગવાનના ભક્ત જે બાઈઓ હોય તેને વિષે મા, બેન, ને દીકરી તેની બુદ્ધિ રહે તો કોઈ રીતે વિકાર થાય નહિ અને રસિક માર્ગે કરીને ભગવાનને ભજીને અભયપદને પામે. (મ. ૩)