Ghanshyam Maharaj Darshan 3
જ્યારે જે સ્થળમાં કાળનું વિષમપણું હોય ત્યારે તે ઠેકાણેથી અન્ય સ્થળમાં ભાગી જાવું પણ વિષમ કાળમાં રહેવું નહિ. તે કાળ સત્યયુગ, ત્રેતા, દ્વાપર ને કળિરૂપે કરીને બહાર વર્તે છે ને પોતાના અંતરમાં પણ વર્તે છે, તે જ્યારે હૈયામાં કળિ વર્તતો હોય ત્યારે ભગવાનની મૂર્તિ હૈયામાં ધારવી નહિ, બહાર નેત્રને ધારવી. (લો. ૧૦)