
Ghanshyam Maharaj Darshan 3
સ્ત્રી-પુરુષને પરસ્પર સહવાસ થાય ને એનો ધર્મ રહે એવી તો આશા જ રાખવી નહિ, તે આ વાર્તા તે એમ જ છે પણ એમાં કાંઈ સંશય રાખવો નહિ તે માટે ધર્મમાં તો ક્યારે રહેવાય તો પરમહંસ હોય તથા બ્રહ્મચારી હોય ને તે જો પોતપોતાના બ્રહ્મચર્યાદિક નિયમ કહ્યા છે તેમાં રહે તો એને ધર્મમાં રહેવાય, અને સ્ત્રી હોય ને તે પણ જો પોતપોતાના નિયમ કહ્યા છે તેમાં વર્તે તો તેને ધર્મમાં રહેવાય, અને બીજા જે સત્સંગી ગૃહસ્થ હોય તે પણ જો પોતપોતાના નિયમ કહ્યા છે તેમાં રહે ને યુવાન અવસ્થાવાળી જે પોતાની મા, બોન ને દીકરી તે ભેળે પણ એકાંતમાં ન બેસે ને તેની સામું પણ દૃષ્ટિ માંડીને ન જુએ તો એને ધર્મમાં રહેવાય. (મ. ૩૫)