Ghanshyam Maharaj Darshan 3
મુને તો તે ભગવાન પ્રત્યક્ષ મળ્યા છે અને રાત દિવસ તે ભગવાનનું હું નામ લઉં છું માટે તો કૃતાર્થ થયો છું એવી રીતે વિચારીને આનંદમાં રહેવું, પણ જેને તમોગુણ-રજોગુણ વર્તતા હોય તેને ધ્યાન-ધરણાને અર્થે આગ્રહ કરવો નહિ અને જેવું બની આવે તેવું ભજન-સ્મરણ કરવું ને દેહે કરીને ભગવાનની તથા સંતની પરિચર્યા શ્રદ્ધાએ સહિત કરવી ને પોતપોતાના ધર્મમાં રહેવું ને પોતાને પૂર્ણકામ માનવું. (સ. ૯)