Ghanshyam Maharaj Darshan 3
ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત રહે છે તે જ માયા છે. અને આ જીવને પોતાનો જે દેહ ને દેહનાં સગાં-સંબંધી ને દેહનું ભરણ-પોષણ કરનારો એટલાને વિષે તો જેવું પંચવિષયમાં જીવને અતિશે હેત છે તે થકી પણ વિશેષે હેત છે. માટે જેને દેહ ને દેહનાં સગાં-સંબંધી ને દેહનું ભરણ-પોષણ કરનારા એમાંથી સ્નેહ તૂટ્યો તે પુરુષ ભગવાનની માયાને તરી રહ્યો છે અને જે પુરુષને ભગવાન વિના બીજામાંથી હેત તૂટે છે તેને જ ભગવાનને વિષે હેત થાય છે અને જ્યારે ભગવાનને વિષે હેત થયું ત્યારે તેની ભગવાનમાં અખંડ વૃત્તિ રહે છે ને જ્યારે ભગવાનમાં અખંડ વૃત્તિ રહી ત્યારે તેને બીજું કાંઈ કરવું રહ્યું નથી; તે તો કૃતાર્થ થયો છે. (મ. ૪૬)