Ghanshyam Maharaj Darshan 3
જ્યારે ભગવાન ને ભગવાનના ભક્ત તે પોતાની ઉપર રાજી થાય ત્યારે તે ભક્તને એમ વિચારવું જે મારાં મોટાં ભાગ્ય જે મારી ઉપર ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થયા, અને શિક્ષાને અર્થે ભગવાન ને ભગવાનના ભક્ત પોતાને વઢે ત્યારે પણ એમ વિચારવું જે મારાં મોટાં ભાગ્ય જે મુંને ભગવાન ને ભગવાનના ભક્ત વઢ્યા, જેણે કરીને મારામાં અવગુણ હશે તે જાશે. એવી રીતે વઢે તો પણ રાજી થાવું, પણ વઢે ત્યારે મનમાં શોક ન કરવો. ને કચવાવું નહિ, ને પોતાના જીવને અતિ પાપી ન માનવો ને રાજી રહેવું. (છે. ૨૩)