Ghanshyam Maharaj Darshan 3
ભગવાન તો ગરીબના અંતરને વિષે પણ વિરાજમાન રહ્યા છે તે એ ગરીબના અપમાનના કરતલનું ભૂંડું કરી નાખે છે, એવું જાણીને કોઈ અલ્પ જીવને પણ દૂભવવો નહિ, અને જો અહંકારને વશ થઈને જેને તેને દૂભવતો ફરે તો ગર્વગંજન એવા જે ભગવાન તે અંતર્યામીરૂપે સર્વમાં વ્યાપક છે તે ખમી શકે નહિ, પછી ગમે તે દ્વારે પ્રગટ થઈને એ અભિમાની પુરુષના અભિમાનને સારી પેઠે નાશ કરે છે. (પ્ર. ૬૨)