Ghanshyam Maharaj Darshan 3
જે ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનની મૂર્તિ વિના બીજા કોઈ પદાર્થમાં લોભાય જ નહિ અને એમ સમજે જે, ભગવાનનું અક્ષરધામ ને તે ધામને વિષે રહી એવી જે ભગવાનની મૂર્તિ ને તે ધામને વિષે રહ્યા એવા જે ભગવાનના ભક્ત તે વિના જે જે લોક છે ને તે લોકને વિષે રહ્યા એવા જે દેવ છે ને તે દેવના જે વૈભવ છે તે સર્વે નાશવંત છે એમ જાણીને એક ભગવાનને વિષે જ દૃઢ પ્રીતિ રાખે છે, માટે એવા ભક્તને કોઈ જાતનો વિક્ષેપ આવતો નથી. (મ. ૨૪)