Ghanshyam Maharaj Darshan 3
એક તો આત્મનિષ્ઠા અતિ દૃઢ હોય અને અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય વ્રત રાખવું એ આદિક જે પંચવર્તમાન તેને દૃઢ કરીને પાળે ને ભગવાનનો મહિમા અતિશે સમજે એ ઉપાયે કરીને કામનું મૂળ ઊખડી જાય છે, અને કામનું મૂળ ઊખડી જાય તો ય પણ બ્રહ્મચર્યાદિક નિયમમાંથી કોઈ રીતે ડગવું નહિ અને અતિશે કામનું મૂળ ઊખડ્યાનો તો ઉપાય એ છે જે ભગવાનનો મહિમા સારી પેઠે સમજવો. (લો. ૧)